જન્માષ્ટમી એટલે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો દિવસ અને આ દિવસ વિશ્વભરમા વસતા તમામ સનાતનીઓ માટે આનંદનો અને ઉત્સવનો દિવસ છે.
ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે 7 સપ્ટેમ્બર અને ગુરૂવારને જન્માષ્ટમીના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરમાં નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જેંમાં લગભગ 12ના ટકોરે મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને જેમાં નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ લાભ લીધો. કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કૃષ્ણકથા અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...
રાજકોટ: આગામી 5થી 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર)ના ભવ્ય દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે. એકતરફ આ કાર્યક્રમ માટે શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ આ દરબાર યોજાય તે પહેલાં જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. રાજકોટના જાણીતા...