જન્માષ્ટમી એટલે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો દિવસ અને આ દિવસ વિશ્વભરમા વસતા તમામ સનાતનીઓ માટે આનંદનો અને ઉત્સવનો દિવસ છે.
ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે 7 સપ્ટેમ્બર અને ગુરૂવારને જન્માષ્ટમીના રોજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરમાં નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જેંમાં લગભગ 12ના ટકોરે મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો અને જેમાં નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ લાભ લીધો. કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કૃષ્ણકથા અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...