આમ તો સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીનાં દિવા સપનાઓ બતાવી વાહ વાહ ખૂબ લૂંટી રહી છે પણ હકીકતમાં મોરબી નાં લગભગ ઉદ્યોગોના મોટા ભાગના રોડ અત્યંત ખરાબ હાલતમાં છે ખાસ વાત કરીએ તો વાંકાનેર થી થાન જતા રોડ ની હાલત અત્યંત ખરાબ છે
વાકાનેર થી થાન રોડ પર ૨૦ થી વધુ ગામ આવેલ છે તેમજ અનેક સિરામિક અને સેનેટ્રી વેરનાં કારખાનાઓ આવેધ છે ત્યારે આ રોડ પર આવતા ગામના સંરપંચો દ્વારા કલેકટર, મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડની સ્થિતીમા કોઈપણ જાતનો સુધાર આવ્યો નથી આજ પણ આ રોડ બિસ્માર હાલતમાં જ છે.
મળતી માહિતી મુજબ વાકાનેર થી થાન રોડ પર આવેલ વીશ ગામ આવેલ છે જે પૈકી આઠ થી દશ ગામના સંરપંચો દ્વારા વાકાનેર થી થાન જવાનો રોડ રીપેરીંગ કરવા માટે કલેકટર , મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતા આ રોડ ને રીપેરીંગ કરવામાં આવ્યો નથી. વાંકાનેર થી થાન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે ખરાબ રોડના કારણે અનેક વખતે અકસ્માતો સર્જાય છે. તેમજ આ રોડ પર ઘણા બધા સિરામિકના કારખાનાઓ આવેલ છે જેની સવાર સાંજ ૫૦૦ થી વધુ ગાડીઓ અવર જવર કરે છે તેમજ અન્ય હેવી લોડીંગ વાહનો પણ ચાલતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને ખરાબ રોડ અને ટ્રાફિકના કારણે આ રાડ પર આવતા ગામના લોકો ક્યારેક બીમાર હોય તો સમયસર હોસ્પિટલે પણ પહોંચી શકતા નથી.
સરકાર કામ કરવા બેઠી છે કે જીવ લેવા તે લોકોને સમજાતું નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રોડ રીપેર કરવાનુ આઘુ રહ્યું પરંતુ રોડ પર ખાડાઓ બરી તેનું સમારકામ પણ કરતા નથી. જ્યારે ચુંટણી હોય ત્યારે જનતાની પરવાહ કરતા નેતાઓ અને સરકાર કેટલી લાપરવાહ છે તે તમે આ રોડની હાલત પરથી જોઈ શકો છો.
આ રોડ પર નાં ઉદ્યોગપતિઓ ને ફેકટરી આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી થી છે જો સરકાર આ ઉદ્યોગપતિઓ અને લોકોની મુશ્કેલી દૂર કરે અને પ્રાથમિક સુવિધાઓ આપે તો અને તોજ આવા વાઇબ્રન્ટ ગુજરાત મોરબી મોરબીનો ખરો અર્થ રહેશે નહીતો ફકત તાયફાઓ બની ને રહેશે તેવી એક ઉદ્યોગપતિએ ચક્રવાત ન્યુઝ ને વાત કરી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...