Monday, June 9, 2025

વાંકાનેરના આણંદપરા-પાડધરા રોડ પર યુવકને છ શખ્સો પાઈપ વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: આણંદપરા પાડધરા રોડ આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ પર યુવકના ભાણેજને બે દિવસ પહેલા એક શખ્સ સાથે ઝઘડો થયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી યુવક જ્યારે કાર લઈને જતો હતો ત્યારે કાર પર પથ્થર મારો કરી કાર રોકી યુવકને છ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા રોડ હુડકો ક્વાર્ટર-સી પાછળ મણીનગર સોસાયટીમાં રહેતા લાલાભાઈ રામભાઈ શરૂ(ઉ.વ.૩૫) એ આરોપી મેહુલ સરવૈયા તથા દિનેશ સરવૈયા રહે. બંને સુંદરીભવાની તા. હળવદવાળા સાથે ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાણેજને બે દિવસ પહેલા આરોપી મેહુલ સરવૈયા સાથે બોલાચાલી ઝઘડો થયેલ હોઇ તેનું મનદુઃખ રાખી ફરીયાદી પોતાની કાર લઇને જતા હતા તે દરમ્યાન અજાણ્યા મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ રસ્તામાં આડુ કરી ફરીયાદીની કાર રોકાવેલ અને આરોપી મેહુલ સરવૈયાએ રોડ પરથી આવી ફરીયાદીની કાર પર પથ્તરનો ઘા કરી ફરીયાદીની કારનો કાચ તોડી ફરીયાદીને માથામાં ઇજા પહોચાડેલ અને મોટરસાયકલ ચાલક તથા આરોપી મેહુલ બંને જણાએ ભેગા મળી ફરીયાદીની ગાડી પર પત્થરના ઘા કરી કારને નુકશાન કરેલ અને ફરીયાદી ગાડીની બહાર નીકળેલ બાદ થોડી વારમાં આરોપી દિનેશ સરવૈયા તથા બીજા ત્રણ ઇસમો મોટર સાયકલ લઇને લોખંડના પાઇપ લઇને આવેલ અને આરોપી મેહુલ તથા દિનેશ બંને જણાએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને આડેધળ શરીરે પાઇપના ઘા મારવા લાગેલ અને આરોપી દિનેશે ફરીયાદીને માથામાં લોખંડના પાઇપનો ઘા મારેલ તેમજ આરોપી મેહુલે ડાબા હાથમાં લોખંડના પાઇપના ઘા મારેલ અને સાથેના અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ઢીકા પાટુનો મારેલ હોઇ આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી ફરીયાદીને માથામાં તથા જમણા હાથમાં ગંભીર ઇજા તેમજ શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા તેમજ ડાબા હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીની ફોરવ્હીલ કારમાં નુકશાન પહોંચાડ્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર લાલાભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર