ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ બની શકે છે વિલન
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે
આ સમાચારથી ખેલૈયાઓમાં નિરાશા છે તો બીજી તરફ ગરબા આયોજકોના પણ હાજા ગગડી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે.
મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે અમરેલી પંથકના દામનગર,મોટા આકડીયા, નાના માચિયા સહિતના ઘણા વિસ્તારોમાં છુટ્ટો છવાયો વરસાદ પડ્યાની પણ માહિતી મળી રહી છે
સાથો સાથ આવતી કાલે અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર વર્લ્ડ કપની મેચમાં પણ વરસાદ વિલન બની શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જેથી ગરબા રશિકો અને મેચ રશિકોમાં ચિંતાનું મોજુ ફળી વળ્યુ છે