મોરબી પાલિકાના ભ્રષ્ટાચાર મામલે માત્ર વાતો કરતા ધારાસભ્ય ??
પાલિકાની તિજોરી તળિયાં ઝાટક કરનાર સામે ફરીયાદ ક્યારે નોધાવશે કોંગ્રેસ અગ્રણીઓ એ ઉઠાવ્યા સવાલો
મોરબી:મોરબીના ધારાસભ્ય વારંવાર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર ની તપાસ માંગી છે માંગી છે એવી સુફીયાણી વાતો કરી પ્રજાને ગુમરાહ કરતા હોય તેવું લાગી રહ્યું છે ખરેખર તપાસ કરવી હોય તો સરકાર પણ તમારી છે પાલિકા પણ તમારી છે આટલી વાર શા માટે ? મોરબીની એ ગ્રેડ નગરપાલિકા જાણે કે હાલ ડી.ગ્રેડમાં હોય તેવી પ્રજાને અનુભૂતિ થઇ રહી છે
ગત ચૂંટણી માં પ્રજા એ ભાજપ પર વિશ્વાસ રાખી પૂર્ણ બહુમતી એટલેકે. 52 માંથી 52 સીટ ઉપર વિજેતા બનાવી પારદર્શક વહીવટ કરવા માટે ચુકાદો આપવામાં આવેલ પરંતુ પણ ભાજપ ના સદસ્યની અણઆવડત અલ્પબુદ્ધિ અને ભ્રષ્ટાચાર આચરવાના મનસુબા સાથે વહીવટ કરવામાં આવેલો તેના કારણે ભાજપના જ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર પત્રકાર પરિષદમાં નગરપાલિકાના સ્વભંડોળ સાવ ખાલી છે અમે પ્રજાને પૂરી સુવિધા આપી શકતા નથી જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે તપાસ કરશૂ આવી મોટી મોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરવા માટે વાતો કરે છે એમ લોકોને લાગે છે કે કુલડીમાં ગોળ ભાગવા આવી રહ્યો હોય તેવું લાગે છે ખરેખર મોરબી ના ધારાસભ્ય ભાજપ ના શાસનમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરાવવા માગતા હોય તો હાલ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે નગરપાલિકામાં પણ પોતાના કહ્યાગરા અધિકારીઓ મૂકવામાં આવેલા છે તો તેમણે ફક્ત અને ફક્ત હુકમ કરી કે જે લોકોએ પાલિકામા ભ્રષ્ટાચાર કર્યો છે તેઓના નામ જાહેર કરી તેમની સામે ખુદ પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી કરવી જોઈએ જેમ ધારાસભ્ય પત્રકાર પરિષદમાં કહે છે કે મે સંકલનની મિટિંગમાં આ બાબત રજૂઆત કરેલ છે તો જો તેમને ખરેખર રજૂઆત કરેલ હોય તો લેખિત પુરાવા રૂપે મીડિયા અને વર્તમાન પત્રોમાં એની કોપી દર્શાવી જોઈએ બાકી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે વારંવાર વિડીયા ઓડિયો અને પત્રકાર પરિષદ કરી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ નંદીઘર અને સ્ટ્રીક લાઈટ ઉપરાંત રોડ રસ્તા અન્ય ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોરબીની પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયા ઉપરાંત ગ્રાન્ટના રૂપિયા પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે તે બહાર આવે બાકી ભાજપની સ્ટાઇલ પ્રમાણે લોકો ને ગલગલીયા કરવાનુ બંધ કરો અને નગરપાલિકાના તત્કાલ પ્રમુખે કલમ ૪૫ડીનો ગેર ઉપયોગ કરી લાખો રૂપિયા ના કામ માં ભ્રષ્ટાચાર આચરેલ છે તેના પૈસા વસૂલ કરવામાં આવે અને ભાજપના ચૂંટાયેલા સદસ્યઓએ કરેલ બેફામ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મન મક્કમ કરી ભ્રષ્ટાચારીઓના નામ જાહેર કરો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલઘારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી તાલુકા કોગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુબિયા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે
