મોરબીના ચકચાર રાણીબા કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરાઈ
મોરબી: મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવા બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ જેલ હવાલે થયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી વધુ એક આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે પ્રથમ ડી ડી રબારી બાદની ધરપકડ થયા બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા બાદ રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલાની ધરપકડ કરી તેને પણ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.ડી ડી રબારીની જામીન અરજી મંજુર થતા તે જામીન પર છે જ્યારે રાણીબા સહિતના અન્ય છ આરોપીઓની જામીન અરજી ના મંજુર થતા તમામ છ આરોપીઓ હાલ જેલમાં છે.
ત્યારે મોરબી પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવતા જેનથી ઉર્ફે જેનીયો નરેન્દ્રભાઈ ભીમાણીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધરપકડનો આંક આઠ પર પહોચ્યો છે.