મોરબીના રફાળેશ્વર ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જાગૃતીબેન ગજાનંદભાઇ જોષી ઉવ.૨૩ રહે. રફાળેશ્વર ગામ મંદીર ક્વાટર તા.જી.મોરબી વાળા પોતાના ઘરે પિતા સાથે જગડો થતા પોતાની મેળે એસીડ પિ લઈ ગળે ફાંસો ખાઇ લેતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમા લાવતા સારવાર દરમિયાન તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.