Saturday, June 6, 2026

સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા આયોજીત “એક શામ રામ કે નામ” કાર્યક્રમ યોજાશે

સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા આયોજીત “એક શામ રામ કે નામ” સંગીત સંધ્યા(લાઈવ ઓરકેસ્ટ્રા) કાયઁક્ર્મ અંગે તા.૧૯/૧/૨૦૨૪ શુક્રવાર ના રોજ રાત્રે ૯ઃ૦૦ વાગ્યે લોહાણા વિધાથીઁ ભવન ખાતે અગત્યની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે

જેથી આયોજકો દ્વારા તમામ સનાતન હીન્દુ સમાજ ને જણાવાયું છે કે તા.૨૨/૧/૨૦૨૪ ના રોજ ૫૦૦ વષઁ પછી અયોધ્યા રામમંદીર નું પુનઃનિમાઁણ થયું છે અને ભગવાન શ્રી રામચંદ્ર મંદીર મા બીરાજમાન થવાના છે આ શુભ દીવસ ની પુવઁ સંધ્યા એ આ ક્ષણ ની ખુશી વ્યક્ત કરવા અને શ્રી રામચંદ્ર ભગવાન મા ભક્તિમય થઈ અને સમગ્ર મોરબી વાસીઓ આ આનંદોત્સવ માં સહભાગી થાય તે માટે તા.૨૧/૧/૨૦૨૪ રવિવાર ના રોજ સાંજે ૮ઃ૩૦ વાગ્યે મોરબી મધ્યે “નગર દરવાજે” “એક શામ રામ કે નામ” લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યા કાયઁક્રમ ના આયોજન માટે અગત્યની મીટીંગ રાખેલ છે.

આ કાયઁક્રમ સમગ્ર હીન્દુ સમાજ નો હોય તમામ પત્રકાર મિત્રો, દરેક સમાજ ના પ્રમુખો અને આગેવાનો, ઘામિઁક સંગઠનો , વેપારીએસોશીએશન,
ધામિઁક સંસ્થાઓ,સેવાકીય સંસ્થા ના સંચાલકો,વિવિધ જ્ઞાતિઓ ના ચાલતા સેવાકીય મંડળ(યુવક મંડળ) , ગણેશ ઉત્સવ સમિતિ તથા આયોજકો, ગરબી મંડળ ના આયોજકો , મોરબી શહેર તથા નજીક ના વિસ્તારો માં આવતા મંદીરો ના પુજારી તથા ટ્રસ્ટી ઓ ,ધુનમંડળ ના સભ્યો સાથે મોરબી મા વસતા સમગ્ર સનાતની હિન્દુ ઓ ને આ મીટીંગ મા પધારવા ભાવભયુઁ આમંત્રણ આપવામાં આવ્યું છે

ખાસ નોંધ- આ કાયઁક્રમ માટે કોઈ પણ વ્યક્તિ,સંસ્થા,કે એસોશીએશન પાસે થી સહયોગ નિધી અસ્વીકાયઁ છે.(ફાળો લેવાનો નથી)

વિશેષ માહીતિ/સુચના માટે સંપકઁ સુત્ર
પુષ્પરાજસિંહ જાડેજા – ૯૩૦૪૧૭૭૭૭૭
ભાવેશભાઈ દોશી – ૯૪૨૬૯૪૨૪૪૯ નો સંપર્ક કરવા જણાવાયું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img