હળવદમાં રહેણાંક મકાનમાં થઈ રૂ.૬,૫૦૦ની રોકડ રકમની ચોરી
હળવદ : હળવદમાં સોનીવાડ વાઘેશ્વર મંદિર પાછળ રહેણાંક મકાનમાંથી રોકડ રકમ રૂ. ૬૫૦૦ ની ચોરી થઇ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં સોનીવાડ વાઘેશ્વર મંદિર પાછળ રહેતા ભાવિનભાઈ કિશોરભાઈ શેઠ (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩/૦૩/૨૦૨૪ સાડા અગ્યારેક વાગ્યાથી ગઈ તા.૦૪/૦૩/૨૦૨૪ ના રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળામાં કોઇ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના ઘરની પાછળ આવેલ ગેલેરીના દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરીને મકાનના રૂમમાં રહેલ કબાટનું તાડુ તોડી કબાટમાં રહેલ રોકડ રૂા.૬,૫૦૦/- લઇ નાસી ગયો હતો જેથી ભોગ બનનાર ભાવિનભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૮૦,૪૫૪,૪૫૭, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.