મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે અંતર્ગત ભરતનગર અને માનસરના રસ્તા પાસે વાધડીયા પરિવારના રાજબાઈ મંદિરે આવતા દર્શનાર્થીઓને વિસામો અને વટેમાર્ગુઓને પણ દર્શન સાથે આરામ મળે તેવી ભાવના સાથે ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો વસંતભાઈ માકાસણા હેમંતભાઈ, ભીમાણી ચંદ્રેશભાઇ અઘારા, ગોધાણી આંબાલાલ તેમજ સામાજિક સભ્યો અને પ્રમુખ ટી. સી. ફુલતરિયાની હાજરીમાં રાજબાઈ માતાજીના દર્શન સાથે આશીર્વાદ લઈ સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આવી સેવાકીય પ્રવૃતિઓ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા કરવામાં આવે છે તેમ પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...