મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.
મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫- ૨૦૨૪ના રોજ દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે જેના અનુસંધાને આજે ભવ્ય વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ મોરબીના દરેક ભક્તિપ્રેમી લોકોને આ મહોત્સવમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ મહોત્સવનુ આયોજન એસ.પી.રોડ ઉપર કરવામાં આવેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...