મોરબી: રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2023/24 માં ધોરણ-5 માં લેવાયેલ જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રે, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ 14 બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે.
શાળાના બાળકોની આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરીવાર, એસ.એમ.સી. તથા વાલીઓ દ્વારા મેરીટમાં આવેલ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શિક્ષણ આપી તૈયાર કરવા બદલ વર્ગશિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...