આફત સમયે તંત્રની સુચનાથી શહેરના સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડપેકેટ તૈયાર કરતી મોરબી ની સંસ્થા.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લામાં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તાર માં ભોજન- પ્રસાદની વ્યવસ્થા કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં ૧૦૦ કીલો ગાંઠીયા વિવેક ભાઈ મીરાણી, ૧૦૦૦ ફુડ પેકેટ નો સહયોગ દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.
આ ભગીરથ સેવા કાર્યમાં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીતના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.
૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ થયેલ, આંખની આજુબાજુનું હાડકું,નાકના હાડકા, જડબા ના હાડકા બધેજ ફ્રેકચર હતા. ઉપરાંત ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેવાનું ચાલુ હતું.
આવી પરિસ્થિતિમાં દર્દીને નાકમાંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) કરીને બેભાન કરવું શક્ય નહોતું, જેથી મોરબી આયુષ...
માળીયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મેર પર ચડી જતા ઈલેક્ટ્રીક શોક લાગતા પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ગામના વતની અને હાલ માળિયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામે રહેતા રમેશભાઇ ભીલની ૦૫ વર્ષની પુત્રી મીનાબેન દેરાળા ગામના પાદરમાં આવેલ...