મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના ૮૧ પીડિત પરિવારમાંથી ૬૪ સાથે વળતર મુદ્દે થયા કરાર

વળતરના મોટા ભાગના મુદ્દા ઉપર માર્ચ મહિનામાં થશે હાઇકોર્ટમાં સુનાવણી

મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓમોટો રિટ પિટિશનમાં કોર્ટ મિત્ર દ્વારા જણાવાયું હતું કે, મોરબી પુલના પીડિતોને વળતરની ચૂકવણી માટેના કરાર(એગ્રીમેન્ટ) કરાયા છે. જેમાં કુલ ૮૧ પીડિત પરિવારમાંથી ૬૪ સાથે કરાર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત પીડિતોના પ્રશ્નો સંદર્ભે પણ કોર્ટને જાણ કરવામાં આવી હતી અને વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. હાઇકોર્ટે હવે આ કેસમાં વળતરના મોટાભાગના મુદ્દા આવી ગયા હોવાથી કેસની વધુ સુનાવણી માર્ચ-૨૦૨૫માં રાખી છે.

ગુરુવારે સુઓમોટો અરજીમાં કૃત કોર્ટ મિત્રે મૃતકોના પરિવારની મુલાકાત લીધા બાદ તૈયાર કરેલો વિસ્તૃત રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. સાથે જ રજૂઆત કરી હતી કે મોરબી બ્રિજના પીડિતોને વળતર ચૂકવવા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. જે યુવતી મુંબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેને ૭.૮૪ લાખનો ચેક અપાયો છે.

પીડિતો સાથેની વાતચીત દરમિયાન કેટલાક પ્રશ્નો ઉદ્દભવ્યાનું કોર્ટને જણાવ્યું હતું. જેમાં પીડિતોને જે માસિક ૧૨ હજાર માસિક ભથ્થું અપાય છે તે તેમને કાયદેસરના વારસોને અપાશે કે કેમ? આજીવન માસિક ભથ્થું આપવાની વાત છે, તે વધતી મોંઘવારીના દરે અપાશે? વચગાળાના વળતરની ૫૦ ટકા રકમને ઋઉમાં મૂકાઈ છે તો કોઈને જરૂર પડે તો કેવી રીતે મેળવવી? જે વિધવાઓને સહાય અપાય છે, તે બીજા લગ્ન કરે તો સહાય ચાલુ રહેશે કે કેમ? સ્વજન ગુમાવનાર બાળાઓને લગ્નનો ખર્ચ કંપની ભોગવવાની છે તે ઘાયલ યુવતીઓએ જેમના લગ્ન બાકી છે તેનો ખર્ચ કંપની આપશે કે કેમ ? જો કે આવા મુદ્દે પીડિતો અંગત રીતે અરજી કરી શકશે.

અગાઉ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓમોટો અરજીની સુનાવણીમાં ઓરેવા કંપની તરફથી પીડિતોને વળતર સહિતની સુવિધા મુદ્દેના એગ્રીમેન્ટની રજૂઆત થઇ હતી અને એમાં પંડિતોને દર છ મહિને ફિટનેસ ૉટફિકેટ આપવાની જોગવાઈને મુદ્દો કંપનીએ કાઢ્યો હતો. ત્યારે ખંડપીઠે કંપનીની ઝાટકણી કાઢી હતી અને કઈ રીતે કંપની પીડિતો જોડેથી દર છ મહિને સટિફિકેટ માંગી શકે એવો સવાલ કર્યો હતો. કંપનીને બે સપ્તાહમાં હાઈકોર્ટના આદેશ એગ્રીમેન્ટમાં સામેલ કરવાનો નિર્દેશ કર્યો હતો અને ન થાય તો કંપની સામે કન્ટેમ્પ્ટની નોટિસ ઇસ્યૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img