મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ અત્યાધુનિક દાંતનું શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ ૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૦૯:૩૦ થી ૧:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ પર આવેલ શ્રી શક્તિ મેડિકલની બાજુમાં આવેલ કુળદેવી પાન સામે શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા દાંત નિષ્ણાત ડોક્ટર અંજનાબા એ. ઝાલા નિઃશુલ્ક સેવાઓ આપશે. તેમજ આ નિદાન કેમ્પમા દર્દીએ હાજર રહેવા માટે ૮૩૨૦૯૧૦૨૧૦ પરથી એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે.
ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ
મશીન દ્વારા દાંતની સફાઈ (Ultra-Sonic Scaling), દાંતના મૂળની સારવાર (Root Canal Treatment), પેઢાના રોગો (પાયોરીયા) ની સારવાર, ડીજીટલ એકસ-રેની સુવિધા, દાંતના સડાની સફાઇ, ચાંદી તથા દાંતના કલર જેવું ફિલિગ, – નાના બાળકોના દાંતની અદ્યતન ઉપકરણોથી સારવાર, સિરામીક, એકેલીક તથા મેટલના ફિક્સ દાંત (FP.D.) બેસાડવાની સુવિધા, દાંતનું આખુ ચોકઠું તથા એક થી વધારે દાંતનું ચોકઠું બનાવવાની સુવિધા, વાંકા-ચુકા દાંતની આધુનિક સારવાર (Ortho. Treatment), બ્લિચિંગ થી દાંત સફેદ કરાવવા, ડેન્ટલ જવેલરી – હીરા બેસાડવાની સુવિધા, મોઢામાં પડેલા ચાંદાઓનું નિદાન અને સારવાર, સ્માઇલ ડીઝાઇનીંગ તથા કોસ્મેટીક ડેન્ટલ ટ્રીટમેન્ટ, ડહાપણ દાઢની સર્જરી, જડબાના ફેક્ચરની સારવાર, નાના બાળકોની દાંતની દરેક પ્રકારની સારવાર, સિંગલ સિટીંગ Root Canal Treatment કરી આપવામાં આવશે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...