મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ અત્યાધુનિક દાંતનું શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ ૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ સવારના ૦૯:૩૦ થી ૧:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ પર આવેલ શ્રી શક્તિ મેડિકલની બાજુમાં આવેલ કુળદેવી પાન સામે શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા દાંત નિષ્ણાત ડોક્ટર અંજનાબા એ. ઝાલા નિઃશુલ્ક સેવાઓ આપશે. તેમજ આ નિદાન કેમ્પમા દર્દીએ હાજર રહેવા માટે ૮૩૨૦૯૧૦૨૧૦ પરથી એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે.
ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ
મશીન દ્વારા દાંતની સફાઈ (Ultra-Sonic Scaling), દાંતના મૂળની સારવાર (Root Canal Treatment), પેઢાના રોગો (પાયોરીયા) ની સારવાર, ડીજીટલ એકસ-રેની સુવિધા, દાંતના સડાની સફાઇ, ચાંદી તથા દાંતના કલર જેવું ફિલિગ, – નાના બાળકોના દાંતની અદ્યતન ઉપકરણોથી સારવાર, સિરામીક, એકેલીક તથા મેટલના ફિક્સ દાંત (FP.D.) બેસાડવાની સુવિધા, દાંતનું આખુ ચોકઠું તથા એક થી વધારે દાંતનું ચોકઠું બનાવવાની સુવિધા, વાંકા-ચુકા દાંતની આધુનિક સારવાર (Ortho. Treatment), બ્લિચિંગ થી દાંત સફેદ કરાવવા, ડેન્ટલ જવેલરી – હીરા બેસાડવાની સુવિધા, મોઢામાં પડેલા ચાંદાઓનું નિદાન અને સારવાર, સ્માઇલ ડીઝાઇનીંગ તથા કોસ્મેટીક ડેન્ટલ ટ્રીટમેન્ટ, ડહાપણ દાઢની સર્જરી, જડબાના ફેક્ચરની સારવાર, નાના બાળકોની દાંતની દરેક પ્રકારની સારવાર, સિંગલ સિટીંગ Root Canal Treatment કરી આપવામાં આવશે.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...