મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો, યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે.
ત્યારે ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.25-05- 2025 ને રવિવારથી સાંજે 7:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી દશ દિવસની શિબિરનું આયોજન હોય જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ – ધ્યાન – યોગ્ય ખોરાકની સમજ – યોગાસન- આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે, SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાઈ, જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે SSY શિબિરનું આયોજન કરવામાં આવેલ,
સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે દશ દિવસની શિબિર અને ચાર દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે જ્ઞાન મેળવવા તેમજ સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ,જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા લોકોને SSY ની શિબિરમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે, શિબિરમાં જોડાવા માટે નવનીત કુંડારીયા મો.નં. 9825224898 ધ્રુવ દેત્રોજા મો.નં.9913111202 અને અંબરામ કવાડિયા મો.નં.9825263142 પર રજીસ્ટ્રેશન કરાવવા SSY આચાર્ય નવનીતભાઈ કુંડારીયાની યાદીમાં બજણાવાયું છે.
પરહીતકર્મ ગુપ્ર દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યા હતા. છેલ્લા નવ દિવસ થી ગરમાગરમ શીરો ખવડાવવામા આવ્યો હતો. આજે શનિવારના રોજ પરહીતકમ ગુપ્રના સભ્યો દ્રારા આજે હાઈવે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 111 થી વધુ નાના બાળકોને ચંપલ આપવામાં આવ્યા હતા. અને પ્રેરણાદાયક પહેલ સાથે લોકોને પણ...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જનતા જનાર્દન માટે તેમનુ આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે ૧૯ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓથી આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં આવ્યો હતો જે સત્યેશ્વર મહાદેવ મંદિરે સવારના ૬/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ અને વટેમાર્ગુઓ ને...
ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી અકીલભાઇ ફીરોજભાઇ સીડા (ઉ.વ-૩૨) રહે-જુનાગઢ બી...