ટંકારામાં પરણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાના ગુનામાં મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ
ટંકારા ખાતે પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના ગુનામાં સાસરીયા પક્ષના મહિલા સહિત ત્રણ આરોપીની ટંકારા પોલીસે અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટેશનમં ફરીયાદી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર રહે. ઉંટડી તા.લીંબડી જી.સુરેન્દ્રનગરવાળા દ્રારા ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ શુભ હિરાલાલ પનારા તથા હિરાલાલ કરશનભાઈ પનારા તથા રિનલબેન હિરાલાલ પનારા રહે.તમામ ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી – ૦૫ તા. ટંકારા વાળા વિરુદ્ધ તેઓએની દિકરીને શારીરીક માનશીક ત્રાસ આપી આરોપીઓ એ ફરીયાદીની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમા ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરૂર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગતા ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને સારુ નહી લાગતા જેથી ફરીયાદીની દિકરી કિંજલને આરોપીઓ દ્વારા કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનશીક દુખત્રાસ આપતા જેથી ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેમજ તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી હોવાનો ગુનો જાહેર થયેલ હોય જે કામની તપાસ આદરી ટંકારા પોલીસે આરોપીઓને તાત્કાલીક પુરતા પુરાવા મેળવી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીઓને કોર્ટ હવાલે કરવામા આવેલ છે.હાલમાં આગળની વધુ તપાસ ચાલુ છે.
