મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨ જુને ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ છે.
આ મલ્ટી-સ્પેશ્યાલીટી તેમજ સુપર સ્પેશ્યાલીટી મેડિકલ કેમ્પ તારીખ ૨૨-૦૬-૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદિર સામે ઝુલતા પુલ પાસે એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ મયુર હોસ્પિટલ ખાતે ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’ યોજાશે. આ કેમ્પનું ઉદ્દઘાટન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવશે.
આ કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટરઓ જુદા-જુદા રોગો માટે નિદાન-સારવાર કરનાર છે, જેનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ કેમ્પમાં બ્લડ પ્રેશર (BP), ઓક્સિજન (SPO.) ડાયાબિટીસ (સુગરની તપાસ) કાર્ડિયોગ્રામ – ECG (ડૉકટરની સલાહ મુજબ)ના રીપોર્ટ પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
નોંધ:-દર્દીઓએ જુના કાગળો ફાઇલ સાથે લાવવાના રહેશે.
દર્દીઓના નામનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જશવંતસિંહજી જાડેજા મોં:-૯૭૨૭૨૭૭૭૭૭, નિરૂભા બી. ઝાલા મોં:- ૯૭૨૫૮૫૫૭૭૭, તથા મહેન્દ્રસિંહજી ડી. ઝાલા મોં:- ૯૮૨૫૨૨૨૭૮૭ નંબર પર સંપર્ક કરવો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...