મોરબીના લીલાપર ચોકડી નજીક બનેલ ખુનના ગુન્હાના સાત આરોપીને ઝડપી પાડતી તાલુકા પોલીસ
મોરબી તાલુકાના લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં સાત શખ્સોએ ધોકા, પાઈપ, છરી વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી જે ખુનના ગુન્હાના સાત આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
ફરીયાદીના દિકરા ગીરીશ (ઉ.વ.૨૭)ને અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને ગીરીશ તેને મદદ કરતો હોવાનું શકવહેમ રાખી ફરીયાદીના દિકરા વિરૂધ્ધ સને-૨૦૧૭ મા પોલીસ ફરીયાદ કરેલ તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હોય જેનો રાગદ્વેષ રાખી સાત આરોપીઓ આવી ફરીયાદીના દિકરાને ગાળો બોલી, આરોપી દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા મારેલા તથા આરોપીઓ કિશન પ્રભુભાઈ તથા પ્રભુભાઈ ડાયાભાઈ તથા મહેશભાઈ ડાયાભાઈ લાકડા ધોકા વડે માર મારેલ તથા આરોપી અમિતે લોખંડના પાઈપ વડે માર મારેલ તથા આરોપી જગાભાઈએ પકડી રાખેલ અને અરવિંદ ઉફે મુન્ના ડાયાભાઈએ પથ્થર વડે માર મારી મોત નિપજાવી ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી થયેલ હોય
જેથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સટાફની અલગ અલગ ટીમો બનાવીને ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી ખુનાના ગુન્હમાં સંડોવાયેલ તમામ આરોપી દિલીપભાઇ મહેશભાઈ કણઝારીયા (ઉવ-૩૭), અરવિંદભાઇ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર (ઉવ-૪૩), કિશનભાઇ પ્રભુભાઇ પરમાર (ઉવ-૨૩), પ્રભુભાઇ ડાયાભાઇ પરમાર (ઉવ-૪૫), મહેશભાઇ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઇ પરમાર (ઉવ-૪૭), દિનેશભાઇ ઉર્ફે જગદિશભાઇ ડાયાભાઈ પરમાર (ઉવ.૫૫), અમીતભાઇ મહેશભાઇ ઉર્ફે પાંચાભાઇ પરમાર (ઉત-૨૪) રહે-; બધા વજેપર મોરી વાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ છે.