માળીયા મીયાણામા પત્ની પર પતીએ કર્યો છરી વડે હુમલો

માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં પતિએ તેની પત્નીને માર મારી છરી વડે ઇજા પહોંચાડી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા જામનગર હાઈવે પર રાસંગપર ગોળાઇ બાજુ સંધવાણીની વાડી પાસે રહેતા આશબાઈ યાસીનભાઈ જામ (ઉ.વ.૨૮) એ પોતાના પતિ યાશીનભાઈ જુસબભાઈ જામ (ઉ.વ.૩૫) વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીના પતિ હોય જેઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરી વતી ફરીયાદને બંને હાથે કાડા ઉપર ઇજાઓ કરી તથા ગળા પાસે છરકો કરી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img