Friday, July 18, 2025

આમ આદમી પાર્ટીની જાગરૂતતાથી સિવિલ હોસ્પિટલનું તંત્ર થયું દોડતું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગઈકાલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સિવિલ હોસ્પિટલમાંથી અમુક દર્દીઓના સગાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેવી કે પ્રસૂતિ બાદ મહિલાઓને ચલાવીને બીજા અલગ વોર્ડમાં લઈ જવામાં આવતી હોઈ, કોઈ વ્હીલચેર કે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. તેમજ પીએમ રૂમ પાસે મસમોટા ખાડાઓ હતા.

ઇમરજન્સી એક્સિટ લખેલા દરવાજાઓને અલીગઢી તાળાઓ મારેલા હતા. પીએમ રૂમની અંદર પાણી પડવાની પણ મોટી સમસ્યા હતી. આવી અનેક સમસ્યાઓના લાઈવ બતાવી તેમજ જવાબદાર અધિકારીઓને એમના વીડિયો મોકલી તેમણે ત્વરિત ધોરણે કામ ચાલુ કરાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું. જેથી કરી તંત્ર દોડતું થયું અને આજે પીએમ રૂમ ઉપર પાણી નિકાલના મોટા ભૂંગળા નાખવામાં આવ્યા. અલીગઢી તાળાઓ તોડી ગ્રિલને ઓઇલ પાણી કરવામાં આવ્યું. ખાડાઓ બુરવામાં આવ્યા. પ્રસૂતિ બાદ મહિલાઓ માટે વ્હીલચેર અને સ્ટ્રેચરની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી. નવું જનરેટર પણ આજે ત્વરિત ધોરણે મંગાવી લેવામાં આવ્યું. આવી અનેક સમસ્યાઓ જે હતી એના નિરાકરણો યુદ્ધ ના ધોરણે કરવામાં આવ્યા. આજ રીતના વિપક્ષ પોતાની જવાબદારી નિભાવે અને જનતા જાગૃત બને તો વર્ષો જૂના પ્રશ્નોનું પણ નિરાકરણ આવી શકે ખરું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર