Saturday, August 23, 2025

હળવદના ચરાડવા ગામના સરપંચને એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ચરાડવા ગામે એક શખ્સે પોતાની ઘરની પાછળ ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયેલ હોય જે સંરપંચના ઘરની સામે શેરીમાં નાખી સરપંચ તથા સાથીઓને ગાળો આપી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન રતીલાલભાઈ પરમાર (ઉ.વ.૬૫) એ આરોપી તેમના જ ગામના અનિલ હસુભાઈ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ચરાડવા ગામના સરપંચ હોવાથી આરોપીએ પોતાની ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમા ગાયનુ વાછરડુ મરી ગયેલ હોય જે મોટરસાયકલ પાછળ દોરડાથી બાધી ફરીયાદીના ઘરની સામે શેરીમા નાખી ફરીયાદી તથા સાથીઓને ભુડાબોલી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર