મોરબી જીલ્લા AAPદ્વારા વિદેશી આયાત થતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા કલેકટરને રજૂઆત
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેસમુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ઘા સમાન છે. વડાપ્રધાન એ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારો ના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈ પ્રકારની આચ આવવા નહીં દે. ભારત સરકારના નાણા વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી એવી શંકા છે.
ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસ માં બજારમાં વેંચાવવા માટે આવવાની શરૂઆત થઇ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરીયાત વાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી વાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે? હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંક ને ક્યાંક વંશ થઈ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોય એ દેખીતું છે. ભારત સરકારનો આ નિર્ણય ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોની તદ્દન વિરુદ્ધ છે.
આથી આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવા આવે એવી રજૂઆત કરી હતી.