મોરબીના લાલપર ગામની સીમમાં કારખાનામાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સોરીસો સીરામીકમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના જુના જાંબુડીયામા રહેતા રાજકુમાર રાજારામ જયસ્વાલ ઉ.વ.૩૫વાળો લાલપર ગામની સીમમાં સોરીસો સિરામિકમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં રાજકુમાર નામના યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.