ક્રાંતિકારી ભગતસિંહના જન્મદિન નિમિત્તે જામદુધઇમા લાઇફ લાઈન વિદ્યાલય ખાતે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઇ
આજે મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય – જામદુધઇમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ક્રાંતિકારીઓના નામની 5 ટીમ રાખવામાં આવી હતી તેમાં વિજેતા ટીમને ક્રાંતિકારી સેના તરફથી સીલ્ડ આપવામાં આવ્યું હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી સેનાનું પુસ્તક યુવા શહીદ ગ્રંથ આપવામાં આવ્યા હતા સાથે સાથે બાળકોને ને ક્રાંતિકારીઓ વિશે માહિતી આપી અને દેશ ભક્તિ નું મહત્વ સમજાવ્યું હતું બસ આવી રીતે દરેક શાળા ક્રાંતિકારીઓના દિવસો ની ઉજવણી કરે તે માટેનું આ પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.