હળવદ તાલુકાના માથક ગામે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઇ ચાવડા (ઉ.વ.૪૮) એ પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ગળાટુપો ખાઈ જતાં નીતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








