મોરબી ની પરશુરામ પોટરી ભારત વર્ષમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતી હતી અને અનેક કામદારો થીં ધમધમતી હતી બાદમાં સમય સંજોગોવશ પરશુરામ પોટરી બંધ થઈ જતા હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલી છે
હાલ પરશુરામ પોટરીના કવાટર્સમાં મજુરોના મકાનમાં મહિલા એ મકાન પચાવી પાડી ગેરકાયદેસર કબજો કરી વપરાશ ચાલુ રાiખ્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીની પરશુરામ પોટરીમાં રહેતા સરીતાબેન અચ્યુતભાઈ ગણપુલે એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા એ ફરિયાદી સરીતાબેનની માલિકીનું મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર ૨૩૬૦/૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હાલમાં પણ વપરાશ ચાલી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...