ટંકારા : ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણનું કામ પૂરું થવા આવ્યું છે.આગામી મે માસમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.તથા મંદિરના દાતાઓના સન્માન કરવામાં આવશે અને સંસાર રામાયણ પારાયણના આયોજન અંગે ઉમિયા માનવ મંદિર ખાતે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ મળશે.
ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર પાસે ઉમિયા માનવ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઉમિયા માનવ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે.ત્રીસ વિઘાના કેમ્પસમાં નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન આપનાર તમામ દાતાઓના સન્માન માટે સતશ્રીની સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન આગામી મે માસમાં થશે.આ આયોજન માટે તમામ ટ્રસ્ટીઓની મીટીંગ આગામી તા.૧૩ને રવિવારના રોજ સાંજે ૫ વાગ્યે લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઉમિયા મંદિર ખાતે મળશે.તેવું પોપટભાઈ કગથરા પ્રમુખની યાદીમાં જણાવવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...