બાળકો માટે વિનામૂલ્યે 25મો આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગર્ભવતી બહેનોને પણ ટીપા પીવડાવવામાં આવશેઆવતીકાલે તા.13ને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 માસથી 12 વર્ષ સુધીના બાળકો તથા પ્રેગ્નન્ટ મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન સોરઠીયા લુહાર જ્ઞાતિ વાળી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી,પુજારા મોબાઈલ વાળી શેરીમાં,શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જે કોરોના કે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. પાચનતંત્રમાં સુધારો કરે છે.યાદશક્તિમાં વધારો કરે છે.ગુસ્સો તથા ચીડીચીડીયા પણું ઓછું થાય છે. તેમજ તાવ,શરદી,વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. તેમ યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...