મોરબી નગરપાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય તે કોન્ટ્રાકટ રદ કરાયો
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી એ ૩૦૨, સિદ્ધિ વિનાયક ટાવર, અમદાવાદને લેખિત નોટીસ પાઠવી જણાવ્યું છે કે તા. ૦૩-૦૫-૨૦૧૮ થી ટેન્ડર પ્રક્રિયા કરી ૩ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાકટ તા. ૩૦-૦૪-૨૦૨૧ ના રોજ પૂરો થયેલ અને બાદમાં એક વર્ષ માટે તા. ૩૦-૦૪-૨૦૨૨ સુધી લંબાવેલ પરંતુ વારંવાર લોકોની ફરિયાદ અને અનિયમિત કામના કારણે હાલનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે
તાત્કાલિક અસરથી નગરપાલિકાના તમામ વાહન જે સ્થિતિમાં એજન્સીને આપેલ તે સ્થિતિમાં ૨ દિવસ માં નગરપાલિકાને પરત કરવા જાણ કરવામાં આવી છે હવે પછીથી ડોર ટૂ ડોરની તમામ કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરાશે તેમ પણ ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...