પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મોરબી જીલ્લા સંગઠન પ્રભારીની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા માલધારી સેલની રચના કરીને હોદેદારોની નિમણુક કરવામાં આવી છે
મોરબી જીલ્લા માલધારી સેલના સંયોજક તરીકે કાનજીભાઈ ડુંગરભાઇ ભુંભરીયા, સહ સંયોજક તરીકે નાજાભાઈ પેથાભાઈ ભરવાડ તેમજ સભ્ય તરીકે રાજુભાઈ મૈયાભાઈ ગમારા, નીતિનભાઈ નારણભાઈ પાઘરીયા, ભુપતભાઈ માંડણભાઈ પાંચિયા, રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા, નવઘણભાઈ નાગજીભાઈ વકાતર, મોનાભાઈ દેવાભાઈ ખાંભરા અને ભરતભાઈ ગમારાની વરણી કરવામાં આવી છે
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ-૧૨ આરોપીઓને રોકડ રૂા.૧,૬૧,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ -૧૨ ઈસમો ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મેહુલભાઈ જેરામભાઇ...