આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આશ્રમના મહંત કરશનદાસ બાપુએ પ્રવર્ચનમાં જણાવ્યું હતું કે ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ક્યારેય ભેદભાવ રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ નીચના ભેદભાવ રાખીએ છીએ? કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલે જણાવ્યું હતું કે સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો ? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ના બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું
કાર્યક્રમના અંતે રામ ખીચડીનો મહાપ્રસાદ સૌએ એક પંગતમાં બેસીને લીધો હતો
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...