વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને અન્યાય થયા બાબતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા ૦૮/૦૪ ના રોજ રેલી યોજી આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા, શહેર અને તાલુકા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તા.૦૮/૦૪ ને શુક્રવારે રાજપૂત કરણી સેનાના કાર્યકરો રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર કચેરી ખાતે ૧૧ વાગ્યે પહોંચશે અને વિદ્યાર્થીઓના શુભચિંતક એવા યુવરાજસિંહને થયેલા અન્યાય મામલે આવેદન પાઠવવામાં આવશે ત્યારે રેલીમાં સર્વે સમાજના વિદ્યાર્થીઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે
મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ: સસરા પક્ષની...
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.