મોરબી ગમોરબી : નવલખી રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીના નવરંગ માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે વિકાસ વિદ્યાલયની બાળાઓ એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી નવરંગ માંડવાંના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર મોરબી પંથકમાં આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમાં મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા માતાજીનો નવરંગ માંડવો તા.11ના રોજ યોજાયો હતો.જેમાં રાવળદેવ હરદેવભાઈએ ડાકના તાલે માતાજીના ગરબા-દુહાની રમઝટ બોલાવી હતી.જેમાં માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના માંડવાંના દર્શનનો લાભ હજારો ભકતોએ લીધો હતો
વધુમાં માતાજીના માંડવા નિમિતે તા.9ને શનિવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબી વિકાસ વિદ્યાલયની 100 થી વધુ બાળાઓ મનમૂકી રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.આ રાસ ગરબા કાર્યક્રમમાં મોરબીની અંજલી ઓરકેસ્ટ્રા રમેશ ભદ્રાની ટીમે વિનામૂલ્યે સેવા આપી બાળાઓને રમાડી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...