મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબાસાહેબના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી
મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલના આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા
