મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક રૂપે સમજવાનો અવસરરૂપે ગૌ-વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૨૩ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં ગૌ-વિજ્ઞાન કથા યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે કુલપતિ, ગવ્યસિદ્ધાચાર્ય પંચગવ્ય વિદ્યાપીઠ, કાંચીપુરમ્ તામિલનાડુથી ડો.નિરંજનભાઈ વર્મા ઉપસ્થિત રહી ગૌ માતા વિશે સમજાવશે. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થામાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર, યંદુનનંદન ગૌ સેવા ટ્રસ્ટ, ક્રાંતિકારી સેના, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી પાંજરાપોળ, ગૌ પ્રેમી મિત્ર મંડળ અણીયારી, ભારત વિકાસ પરિષદ, પરીશ્રમ ઔષધી વન મોરબી સહિતના ટ્રસ્ટ તથા ગ્રુપો જોડાશે. વધુ માહિતી માટે મો.9429245295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...