ટંકારા ભાજપના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાના ટોળ ગામે શક્તિ માતાજી તથા બ્રહ્માજી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રના રાજકીય સામાજિક તેમજ સંતો મહંતો વગેરે હાજરી આપશે.
ટંકારા તાલુકાના ટોળ ગામે આગામી તા.૨૧ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ કલાકે થાંભલી રોપણ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે રાવળ દેવ દેવજીભાઈ પનારા, હરેશભાઈ પનારા ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. તેમજ તા.૨૨ને શુક્રવારના સવારે ૭:૩૦ કલાકે થાંભલી વધાવવાનું સહિતના માંગલિક કાર્યક્રમો યોજાશે. આ તકે ધર્મપ્રેમી જનતાને પધારવા મેપાભાઈ સવાભાઈ, દેવાભાઈ મેપાભાઈ, ઘેલાભાઈ મેપાભાઈ ફાંગલીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...