માળીયા : મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરાના પાટીયા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બગસરા ગામના બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તાથી આગળ નાના દહીંસરા ગામના પાટીયા પાસેથી ગતરાત્રે બગસરા ગામના યુવાન ભરતભાઈ નાનુભાઈ વાઘેલા પોતાનું બાઈક (GJ-36-D-1455) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક અને છકડો રીક્ષા (GJ-36-O-6524) વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન બાઈકચાલક ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...