મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું
મોરબીની શ્રી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું
વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે હાઈસ્કૂલમાં પંખીના માળા લગાવવામાં આવ્યા હતા. આ સમયે શ્રી એમ. પી. શેઠ. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન એમ. જાદવ, તેમજ ગીતાબેન ગાવિત, વર્ષાબેન સુખાનંદી તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ) , નકુમ મનોજ, નકુમ હર્ષદ, નકુમ હાર્દિક ઉપસ્થિત રહ્યા હતા.