માળીયા નેશનલ હાઇવે પર પંચવટી ગામના પાટિયા પાસે શનિવારે મોડી સાંજે રાજકોટ થી કચ્છ જિલ્લા તરફ જતી એક ઇકો કાર કન્ટેનરન પાછળ ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત બાદ કારમાંઆગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટમાં આગે મોટું સ્વારૂપ લઇ લેતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. દુર્ઘટના એટલી ગંભીર હતી કેઅકસ્માત બાદ કારમાં ઊંઘી રહેલા મજૂરોને પણ બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને બને શ્રમિકો આગમાં બળી ગયા હતા અને તેઓનું કમકમાટી ભર્યું મોત મનીપજ્યું હતું. જ્યારે એક મજૂરને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ઇકો ચાલક વિરુદ્ધ માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની માળિયા પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ મૂળ ઉતરપ્રદેશના આગ્રા જિલ્લાના સરેન્ધી ગામના વતની અને રાજકોટ કાલાવડ રોડ ઉપર એવરેસ્ટ પાર્કમાં રહેતા અતુલભાઇ જગદીશભાઇ શર્મા તેમજશ્રમિક સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ જીજે -03- એલબી-4380 નંબરની ઇકો કારમાં બેસી રાજકોટથી કચ્છ જિલ્લામાં મજુરી કામ માટે જતા હતા તે દરમિયાન ત્યારે માળીયા નજીક આવેલ પંચવટી ગામના પાટીયા પાસે આવેલ રેલ્વે ઓવરબ્રીજ પર ઇકો કારના ચાલક ગોપાલ મગનભાઈ રામાનુજ નામના ઇકો કારના ચાલકે પોતાના હવાલા વાળી કાર કન્ટેનર પાછળ અથડાવી હતી. કારનો અકસ્માત થયાની ગણતરીની મિનિટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતની કરુણતા તો એ હતી કે અકસ્માત સર્જાયો તે સમયે શ્રમિક સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ ઇકોમાં થાકને કારણે ઊંઘી રહ્યા હોય ઊંઘમાંથી જાગીને ગાડીની બહાર નીકળે તે પૂર્વે જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા બન્ને કારમાં જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
મોરબી જીલ્લાના બે ગુન્હા તથા પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનનો એક ગુન્હો મળી કુલ ત્રણ પ્રોહિબીશનના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી મોરબી પેરોલ-ફર્લો સ્કોડ/એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ-ફર્લો સ્કોડ તથા એલ.સી.બી. ટીમને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા પાટણના...
મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૪ મેં થી તા.૧૬ મેં સુધી "હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-|સામાન ભરેલ...
ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ " ઓપરેશન સિંદુર" નાં શૌર્યતા સભર સાહસનેં બિરદાવવા ભારતભરમાં " તિરંગા યાત્રા" દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.
સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર...