મોરબીમાં આજ અખાત્રીજ નાં રોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ પરશુરામધામ ખાતે રાસોત્સવ યોજાયો હતો જેમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતા અને રાત્રીના કેક કાપીને ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતી ઉજવી હતી
તેમજ આજે અખાત્રીજના પાવન પર્વે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રા શહેરના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી જે વાજતે ગાજતે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને નવલખી રોડ પરના પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં બ્રહ્મસમાજ દ્વારા મહાઆરતી યોજાઈ હતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું શોભાયાત્રા સહિતના ધાર્મિક મહોત્સવમાં બ્રહ્મસમાજના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...