મોરબી: તા.૭ ઓક્ટોબરે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ‘૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ‘૨૨ ) “દુનિયા એક રંગમંચ છે. કલાકાર બનતાં નથી, જન્મે છે.” નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
“ગુજકોસ્ટ ગાંધીનગર ” પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત “રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ-૨૨ ( નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨) કે જેમાં મુખ્ય વિષય “માનવ જાતનાં લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” પેટા વિષય:-(૧) રસી ની વાર્તા (૨) રોગચાળો,સામાજીક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ (૩) જીવનની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી ઈનોવેશન (૪) મૂળભૂત વિજ્ઞાન અને સતત્ વિકાસ- વિષય ઉપર નાટ્ય મહોત્સવનું આયોજન કરેલ જેમાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો .
આ નાટ્ય મહોત્સવમાં શ્રી નવ જ્યોત & સરદાર પટેલ વિદ્યાલય ટંકારાની ટીમો જીલ્લાકક્ષાએ વિજેતા થયા છે તેઓની વિજેતા ટીમ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે. તેમજ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ બધી જ સ્કૂલનાં આચાર્ય સંચાલક, શિક્ષકમિત્રો તથા વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...