માળીયા મીયાણ તાલુકા ના જાજાસર ગામ પ્રાથમિક શાળા માં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી
માળિયા મિયાણાના જાજાસર સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બાળ વયની ચૂંટણી મતદાન નેતૃત્વ, સામાજિક મૂલ્યો, અને જવાબદારી વિશે જાગૃત થાય તેવા હેતુથી બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ચૂંટણી અંગે શાળા દ્વારા પ્રથમ જાહેર નામ ઉપાડવામાં આવ્યું હતું જે મુજબ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ તાલુકા પંચાયતની ચૂંટણીની માફક મોકપોલ કરવામાં આવ્યું હતું અને ઇવીએમ મશીનનો ઉપયોગ કરીને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શાળાના 200 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને ત્યાર બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા મત ગણતરી કરતા બાળા ખુશીબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા,ચૂંટણીની સમગ્ર કામગીરી શાળાના શિક્ષક દિનેશભાઈ કાનગડ, રાજેશભાઈ રાઠોડ જૈમીનીબેન સોલંકી, એ માર્ગદર્શન પાડ્યુ હતું આવ્યું હતુ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...