મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની ચોકડી તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીની અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના ૦૨ ફુટના ઓટલા ઉપરાંત ૦૬ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ ૦૬ ફુટના ઓટલાથી આગળ ૦૪ ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. આ ગેરકાયદે દબાણના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે. જેથી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને આ અનિધકૃત ઓટલા તથા છાપરા ના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.
તેમજ અવની ચોકડી થી ચકિયા હનુમાન સાઈડ પર અમુક જગ્યાના દબાણના કારણે રોડને ૨૫ ફૂટની જગ્યા મળતી નથી ખરેખર રોડ ૩૩ ફૂટ રોડ ખુલ્લો કરાવવા માટે પાલિકામાં અવાર- નવાર મૌખિક રજુઆતો તેમજ તારીખ ૦૧/૦૨/૨૦૨૪ તથા તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ લેખિત અરજીઓ કરેલ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી વહેલી તકે આ દબાણો દૂર કરવા અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...