મોરબી: મોરબી બહાદુરગઢ ગામની સીમ માંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા ગેસ ભરેલ ટેન્કર,ખાલી સીલેન્ડર, બોલેરોગાડી,મોબાઇલફોન તથા ગેસ કાઢવાના સાધનો મળી કુલ રૂ. ૨૯,૮૫,૪૨૪ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને મોરબી એલસીબીએ પકડી પાડયા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એ મોરબી જીલ્લામાં ચોરીછુપીથી અનઅધિકૃત પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી આવી પ્રવૃતિ કરનાર ઇસમોને કાયદાના પાઠ ભણાવવા સુચના કરેલ હોય જે અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન તથા સુચના મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક, અવધ વે બ્રીજ પાછળ, બામણકા સીમ જતા રસ્તે બહાદુરગઢ ગામનીસીમમાં ખુલ્લી જગ્યામાં જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ આહિર રહે બન્ને રાજકોટ,વાળા રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતા ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરો સાથે મેળાપીપણુ કરીને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા
રામસીંગ વિજયસીંગ રાઠોડ (ઉ.વ.૫૮ રહે. રાતાનાડા શિવરોડ, તા.જિ.જોધપુર રાજસ્થાન), જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલા (ઉ.વ. ૨૬ રહે. શ્રીનાથજી સોસાયટી, મવડીરોડ, રાજકોટ) તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા (ઉ.વ. ૩૫ રહે. શ્રીનાથજી સોસાયટી, મવડીરોડ, રાજકોટ) ત્રણ ઇસમોને રૂ.૨૯,૮૫,૪૨૪ – ના મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ ગેસ ભરેલ ટેન્કર નં- HR-38-7-0853 ગેસના જથ્થા સહિતની ફૂલ કિં.રૂ.૨૬,૧૨,૪૨૪/ તથા ગેસના સીલેન્ડર નંગ-૨૮ કિ.રૂ. ૫૬૦૦૦ અને બોલેરો ગાડી નં. GJ-03-BV-8052 કિ.રૂ. કિં.રૂ.૩,૦૦,૦૦૦ તેમજ ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી પાઇપ નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કૂલ રૂ. ૨૯,૮૫,૪૨૪ /- નો મુ દામાલ પોલીસે જપ્ત કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...