જેના દિલમાં સતત સેવાકીય ભાવના રહેલી છે તેમજ વંચિત પરિવારોનેસહાય યોજના ની પણ દિલથી લાગણી હોય તેવા ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ અને પી.જી. પટેલ કોલેજના સુપ્રીમો એવા દેવકરનભાઈ આદ્રોજા અને તેમના ધર્મપત્ની કે જેઓ પણ સેવા ભાવના સાથે જોડાયેલા છે તેમનાં હસ્તે દિપ પ્રાગટય કરી ને આ સિવન કેન્દ્ર ખુલ્લું મુકાયું તેમની સાથે આ સમિતિના સભ્યો શ્રી ટી સી ફૂલતરિયા સાહેબ બાલુભાઈ કડીવાર અને વિનુભાઈ ભટ્ટ હાજર રહેલ.
સાથે કેન્દ્ર સંચાલિકા હેતલબેન ભટ્ટ અને તેમનાં સગા સ્નેહી જનોની આડોશી પાડોશી ની પણ હાજરી હતી આ તકે દેવકરન ભાઈએ કહ્યું કે આર્થિક નબળા વર્ગના અને વિધવા બહેનોની દીકરીઓને પગભર બનાવવા માટે આ સેવાકાર્ય કરવામાં આવે છે શારદાબેન અને ટી સી ફુલતરિયા સાહેબનો પણ એજ સેવાના ભાવનાને અનેક તાંતણાથી બાંધી મજબૂત બનાવવાની ભાવના વ્યકત કરી હેતલ બેન દ્વારા મીઠા મોં કરાવી કરાવવામાં આવ્યા હતા અને વિનુભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...