મોરબી: હળવદ 108ની ટીમના કર્મચારીઓની એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં હળવદ ખાતે અકસ્માતમાં ઘવાયેલા યુવાન પાસે રહેલા રોકડ રૂ.32 હજાર તથા મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ 108ની ટીમ દ્વારા અકસ્માતનો ભોગ બનનાર યુવકનાં પરીવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ 108ની ટીમના ઇએમટી હરેશભાઈ અને પાઇલોટ ગણપતભાઇને ફોન આવ્યો હતો કે હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શિવ મંદિર સામે એક બાઈક અકસ્માત સર્જાતા બાઈક સવારને ઇજા પહોચી છે ફોન બાદ 108ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત અવચરભાઈ કુમાભાઈ વાઘેલાને તાત્કાલીક સારવાર આપી હોસ્પિટલ ખાતે પોહચાડવામા આવ્યા હતા. તે દરમિયાન અવચરભાઇના ખિસ્સામાંથી રૂ. ૩૨૦૦૦ રોકડા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે રૂપિયા હરેશભાઈ અને ગણપતભાઈએ રોકડ રકમ અને મોબાઈલ ફોન તેમના પરિવારજનોને સુપ્રત કરી દેશ અને સમાજને એક અનેરૂં પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...