હળવદના કેદારીયા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે ખૂની ખેલ ખેલાયો

હળવદ તાલુકાના કેદારિયા ગામમાં આજે બપોરના સમયે એક જ સમાજના બે જૂથો વચ્ચે જુના મનદુખને લઇને ખુની ખેલ ખેલાયો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને હળવદની સરકારી હોસ્પિટલ ખાસે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની હળવદ પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કેદારિયા ગામમાં જુના મનદુખને લઇને એક જ સમાજના બે જૂથો આમને સામને આવી ગયા હતા. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 મહિલાઓને હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવામાં આપવામાં આવી હતી. અને 3 પુરુષને વધારે ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ઇજાગ્રસ્તોના નામ કેતન ભરતભાઇ પોરડિયા, કાન્તીભાઇ અમરાભાઇ પોરડિયા, પ્રવિણભાઇ સોમાભાઇ પોરડિયા,
ટીનાભાઇ દેવાભાઇ પોરડિયા, રમીલાબેન કાન્તીભાઇ પોરડિયા, હિનાબેન રામજીભાઇ પોરડિયા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img