તારીખ :- ૦૨/૦૨/૨૦૧૬ ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓ પર હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાયો હતી. ત્યારે આ ફરિયાદમાં (૧) રમેશભાઈ પટેલ (૨) વાસુદેવભાઇ થડોદા (૩) જગાભાઈ થડોદા (૪) ચંદ્રકાંતભાઈ વામજા પર કેસ ચલાવવામાં આવ્યો હતો.
બનાવની માહિતી મુજબ તારીખ ૧/૧/૨૦૧૬ ના રોજ આ કામના ફરિયાદી તેમજ તેમની ટીમ રણમલપુર ગામે વીજ ચેકિંગમાં ગયા હોય. ત્યારે રણમલપુરના રહેવાસીઓ દ્વારા તેમના પર તેમજ તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેમના વાહનોને પણ નુક્સાન કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાવી હતી. બાદ પોલીસ દ્વારા ઉપરોક્ત દર્શાવેલ તમામની ધરપકડ કરી હતી કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખી તેમજ તેમનું ઊંડાણ પૂર્વક અધ્યયન કરી ઉપરોક્ત દર્શાવેલ તમામ વ્યક્તિઓને તમામ આરોપો માંથી મુક્ત કરી છોડી મૂકવા આદેશ કર્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...