મોરબી: મોરબી -૨ , એલ. ઈ. કોલેજ રોડ ફલોરા પાર્મ્સમા આવેલ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી અગીયારમાં માળેથી ડક વિભાગમાં નીચે પહેલા માળે પટકાતા સગીરનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હીતેષકુમાર અર્જુનસિંહ ચૌહાણ (ઉ.વ.૧૬) રહે. હાલ મોરબી-૨, એલ.ઈ.કોલેજ રોડ.ફલોરા પાર્મ્સ. મુળ. રહે. ચલાલી તા.કાલોલ જી. પંચમહાલ વાળો મોરબી-૨, એલ. ઈ. કોલેજ રોડ,ફલોરા પાર્મ્સ આવેલ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી જતા અગીયારમા માળેથી ડક વિભાગમા પહેલા માળે નીચે પડતા માથામા હેમરેજ તથા શરીરે ગંભીર ઈજાઓ થતા ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...